Skip to main content

Featured

પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને નવી ઊર્જા: 100 દિવસની ટીબી નિર્મૂલન ઝુંબેશ.

  પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને નવી ઊર્જા: 100 દિવસની ટીબી નિર્મૂલન ઝુંબેશ. ભારતનું આરોગ્યક્ષેત્ર પ્રગતિના નવા શિખરો સ્પર્શી રહ્યું છે, અને તે માટેની એક મક્કમ કવાયત છે ટીબી મુક્ત ભારત અભિયાન 2025. ટીબી, કે જે એક લાંબા સમયથી ચિંતાનો વિષય રહ્યો છે, હવે સરકાર અને સમાજના સહકારથી નિયંત્રણમાં આવે છે. આજના દિનથી શરૂ થયેલી 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ દરેક ગામ અને શહેરમાં ટીબી જેવા જીવલેણ રોગને મટાડવા માટેની મહત્વાકાંક્ષી પહેલ છે. ટીબી: ચિંતા અને સંકલ્પ ટીબી એક બેક્ટેરિયલ સંક્રમણ છે, જે સામાન્ય રીતે ફેફસાંને અસર કરે છે. આ રોગની સંક્રમણ ક્ષમતા અને તેનું લાંબું સારવારકાળ દર્દીઓને શારીરિક અને માનસિક રીતે કંગાળ કરી નાખે છે. જો કે, આ બિમારી હવે સાધ્ય છે, અને યોગ્ય સારવારથી તેને સંપૂર્ણપણે હરાવી શકાય છે. ભારત માટે આ ઝુંબેશ એટલી મહત્વપૂર્ણ કેમ છે? 1. જાગૃતિ: દર વર્ષે હજારો નવા કેસ નોંધાય છે, અને સાવચેતીનો અભાવ આ સમસ્યાને વિકટ બનાવે છે. 2. મૃત્યુ દરમાં ઘટાડો: સમયસર સારવાર અને યોગ્ય પોષણથી મોત ટાળી શકાય છે. 3. સમાજનું કલ્યાણ: ટીબી ફક્ત આરોગ્ય નહીં, પણ સમાજના આર્થિક અને સામાજિક માળખાને પણ અસર ક...

મૂળ જામનગરના વર્ષોથી અડાલજ ત્રિમંદિર ખાતે સેવા કાર્ય કરતા ૮૦ વર્ષના હીરાબેન ગીગાભાઈ પરમાર જણાવે છે કે......

મૂળ જામનગરના વર્ષોથી અડાલજ ત્રિમંદિર ખાતે સેવા કાર્ય કરતા ૮૦ વર્ષના હીરાબેન ગીગાભાઈ પરમાર જણાવે છે કે, તેમને ૧૨ મહિનાથી વિધવા સહાયના લાભ રૂપે ૧૨૫૦ રૂપિયા નિયમિત મળે છે. આ માટે તેમને કોઈ કચેરીમાં જવું પડતું નથી કે કોઈને વિનંતી કરવી પડતી નથી. આ અંગે તેઓ વધુમાં જણાવે છે કે,"વિધવા સહાયના લાભ પછી દર મહિને સમયસર પૈસા ખાતામાં જમા થતા મારે આ ઉંમરે સ્વ ખર્ચ માટે કોઈ સામે હાથ ફેલાવવાની જરૂર પડતી નથી. " આ માટે તેઓ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. #sevasetu2024 CMO Gujarat Collector office Gandhinagar DDO Gandhinagar Gandhinagar Municipal Corporation Gujarat Information

Comments