Skip to main content

Featured

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

  માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રે...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શૈક્ષણિક દિવસોની યાદ તાજી કરતું પ્રેરણા સ્કૂલ

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શૈક્ષણિક દિવસોની યાદ તાજી કરતું પ્રેરણા સ્કૂલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની પ્રેરણા સ્કૂલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે મલકાત કરી હતી. આ સ્કૂલ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની શાળાકીય દિવસોની યાદોને જીવંત કરે છે, જેમાં તેઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

વિઝિટ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને તેમના વિવિધ પ્રોજેક્ટ્સ વિશે જાણકારી મેળવી. સ્કૂલમાં ભેગા થયેલા વિદ્યાર્થીઓએ તેમના રાજ્યોની અનોખી અને સાંસ્કૃતિક ચીજોની પ્રસ્તુતિ કરી, જેની તેમણે પ્રશંસા કરી.











Comments