Skip to main content

Featured

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

  માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રે...

Gandhinagar : ચિત્રકૂટ એવોર્ડ ૨૦૨૪ માટે પાત્રતા અને અરજીની પ્રક્રિયા

Gandhinagar : ચિત્રકૂટ એવોર્ડ ૨૦૨૪ માટે પાત્રતા અને અરજીની પ્રક્રિયા

દર વર્ષે ચિત્રકૂટધામ તલગાજરડા, તા.મહુવા, જિ.ભાવનગર ખાતે પૂજય મોરારીબાપુના હસ્તે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શાળા અને બાળકોના સર્વાંગી વિકાસ અર્થે સમર્પિત ભાવના સાથે નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવતા શિક્ષકોને 'ચિત્રકૂટ એવોર્ડ'થી સન્માનવામાં આવે છે. 

આ એવોર્ડ પૂજય મોરારીબાપુ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં એટલે કે ૩૩ જિલ્લામાંથી ૩૩ શિક્ષકોને તથા ૧ નગરપાલિકા/મહાનગરપાલિકાના શિક્ષકને એમ કુલ ૩૪ એવોર્ડ આપવામાં આવે છે. ચાલુ વર્ષ-૨૦૨૪નો ચિત્રકૂટ એવોર્ડ જાન્યુઆરી-૨૦૨૫માં આપવામાં આવનાર છે.

 દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નિયત ફોર્મમાં વધુમાં વધુ ૩ (ત્રણ) ફાઈલ ફરજીયાત પ્રમુખ-મહામંત્રીના સહી-સિક્કા અને ભલામણ સાથે ગુ.રા.પ્રા.શિ.સંઘના કાર્યાલય 'ચાણક્ય' ગાંધીનગર ખાતે મોડામાં મોડી તા. ૧૦/૧૨/૨૦૨૪ સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવ્યું છે.

નોંધ :- જે જિલ્લામાંથી ત્રણથી ઓછી ફાઈલ હશે તે જિલ્લામાંથી રાજ્ય સંઘ ડાયરેક્ટ ખૂટતી ફાઈલ મંગાવશે જેની નોંધ લેશો.

આ એવોર્ડ મેળવવા માટે નીચેની બાબતો ધ્યાને લેવી.

• આ એવોર્ડ માટે શિક્ષકની ઓછામાં ઓછી ૧૫ વર્ષની નોકરી ધ્યાને લેવાની રહેશે. (રાજય કે રાષ્ટ્રિય એવોર્ડ પ્રાપ્ત કરેલ તથા રાજય/જિલ્લા કે તાલુકા સંઘના હોદ્દેદારશ્રીઓએ એવોર્ડ માટે દરખાસ્ત કરવી નહીં.) આ એવોર્ડ માટે રાજય સંઘ દ્વારા નિયત કરેલ ફોર્મની પીડીએફ ફાઈલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ-મહામંત્રી તથા રાજ્ય હોદ્દેદારોને આપવામાં આવેલ છે. જે તેમની પાસેથી મેળવી પ્રિન્ટ કઢાવી લેવા વિનંતી ફાઈલમાં શૈક્ષણિક લાયકાતના બિનજરૂરી પ્રમાણપત્રો-ગુણપત્રકો મૂકવા નહીં.

• શાળાની દૈનિક પ્રવૃત્તિઓની બિનજરૂરી નોંધ સામેલ રાખવી નહીં. જિલ્લા અને રાજ્ય કક્ષાના પ્રમાણપત્રો જ સામેલ રાખવા. 

• તાલુકા-જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ કરેલી કામગીરીના આધારો જ રજૂ કરવા. શાળાના ફોટાઓ કે પ્રમાણપત્રોમાં ઉમેદવારનું નામ કે હાજરી હોય તેવી બાબતો જ સામેલ રાખવી. આ કામગીરી સાથે પુરક ન હોય તેવી બાબતો-કાવ્યો, લખાણ મૂકવાં નહીં.

• શાળામાં, શાળા બહાર શિક્ષણને ઉપકારક કરેલાં કાર્યો, સંશોધનો, લેખનો, શિબિરો વિગેરેના જ આધારો રજૂ કરવા.

 • સ્થાનિક તાલીમો લીધી હોય તેવા દાખલા-પ્રમાણપત્રો મૂકવા નહીં. શિક્ષક પ્રોફાઈલમાં જી.પી.એફ., પાનકાર્ડ, આધારકાર્ડ, બ્લડ ગૃપ, બેન્ક એકાઉન્ટ વિગેરે જેવી બિનજરૂરી વિગતો દર્શાવવી નહીં.

Comments